પાકિસ્તાનનાં લાહોર શહેરમાં મંગળવારે શ્રીલંકન ક્રિકેટ ટીમ પર થયેલા હુમલા બાદ તેમાં સંડોવાયેલા આતંકવાદીઓને પકડવા પોલીસ સઘન તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાનનાં વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ આંતરીક સુરક્ષા સલાહકાર રહમાન મલિકને જણાવ્યું હતું કે પોલીસે કેટલાંક લોકોની ધરપકડ કરી છે. પણ તેમનો સંબંધ આતંકવાદી હુમલા સાથે છે કે નહીં તે અંગે કઈ કહેવું અશક્ય છે.
મલિકનાં જણાવ્યા મુજબ શ્રીલંકન ટીમ પર થયેલા હુમલા બાદ દેશને યુદ્ધ જેવી હાલાતમાં ધકેલી દીધું છે. પણ થોડી ધૈર્ય રાખવાથી જવાબદારોને સજા આપી શકાશે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં છ પાકિસ્તાની ખેલાડીઓ સહિત રીઝર્વ એમ્પાયર એહસાન રઝા ઘાયલ થયા હતા.
|