પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાનીએ બુધવારે એ બસ ચાલકને પાંચ લાખ રૂપિયા ઈનામમાં આપવાની જાહેરાત કરી છે જેણે શ્રીલંકાઈ ટીમ પર હુમલા દરમિયાન પોતાની સમજદારીનો પરિચય આપ્યો હતો.
ગિલાનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ઈનામ બસ ચાલક મેહર મોહમ્મદ ખલીલને આપવામાં આવશે કારણ કે મંગળવારે તેણે ક્રિકેટ ટીમ પર હુમલા સમયે પોતાની બુદ્ધિ તથા બહાદુરીનો પરિચય આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર એ સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે ટીમના ખેલાડી તથા કોચ એક બસમાં સવાર થઈને ગદ્દાફી સ્ટેડિયમ જઈ રહ્યાં હતાં તથા ખલીલ એ બસનો ચાલક હતો. બસના સ્ટેડિયમ જવાના ક્રમમાં જ આતંકવાદીઓએ લિબર્ટી ચોક પર તેના પર હુમલો કરી દીધો.
|