જો ભારત સરકારે કેટલીક શરતો પાળી હોત તો મહાત્મા ગાંધીની ચીજવસ્તુઓની હરાજી રોકી શકાઈ હોત.
જેમ્સ ઓટીસનાં જણાવ્યા મુજબ હરાજીનાં પહેલાં તેણે સરકાર સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં ગરીબન લોકો માટે સ્વાસ્થ્ય સેવાઓ પર થતાં ખર્ચમાં વધારો કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.
આ અંગે ઓટીસે એક પ્રસ્તાવ ભારતીય દૂતાવાસને આપી દીધું છે. જેને અંતિમ રૂપ આપવા માટે પણ સરકારને ઉચિત સમય આપવામાં આવ્યો છે. દૂતાવાસે તે પ્રસ્તાવને નવી દિલ્હી મોકલી દીધું છે.
|