પાકિસ્તાનનાં પશ્ચિમોત્તર પ્રાંત અને આદિવાસી વિસ્તારોમાં ઉગ્રવાદીઓ તથા સુરક્ષા બળો વચ્ચે ધાર્મિક કર ઝઝીયા આપવામાં નિષ્ફળ રહેતાં શીખ અને હિન્દુ પરિવારોનાં ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેથી તેઓ મોટી સંખ્યામાં પંજાબ પ્રાંત તરફ પલાયન કરી રહ્યાં છે.
તો પાકિસ્તાન ભારતને ચિંતા ન કરવાની સલાહ આપી છે. અમેરિકાએ શીખોની હત્યા કરનારા તાલિબાનોને નિર્દયી હત્યારા ગણાવ્યા હતા. આદિવાસી વિસ્તારમાંથી 150થી વધુ નાગરિકોએ પંજાબ પ્રાંત તરફ પલાયન કર્યું છે.
શરણાર્થી ટ્રસ્ટ સંપત્તિ બોર્ડનાં ચેરમેન આસિફ હાશ્મીએ કહ્યું હતું કે બુનેર, સ્વાત અને ઔરકજાઈ જેવા સ્થાનોથી 150 જેટલાં શીખ અને હિન્દુ પરિવારો હાસલ અબ્દાલ અને રાવલપિંડી પહોચી ગયા છે. જ્યાં તેમને જરૂરી સુવિદ્યાઓ આપવામાં આવી રહી છે.
|