ઈરાન રિવોલ્યૂશનરી ગાર્ડસે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને સુન્ની વિદ્રોહી દળના એ નેતાને છોડી દીધા હતા, જે ઈરાનના દક્ષિણપૂર્વી શહેરમાં થયેલ હુમલામા પણ સડોવાયેલા હતા. આ હુમલામાં 40 લોકોના મોત થઈ ગયા હતા. હુમલો ગઈ 18 ઓક્ટોબરના રોજ થયો હતો.
સ્થાનીક ટેલીવિઝન મુજબ ગાર્ડર્સના ઉપાધ્યક્ષ બિગેડિયર જનરલ હુસૈન સલામીનુ કહેવુ છે કે હુમલામાં આરોપી અબ્દુલ મલિક રોગીને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગઈ 26 સપ્ટેમ્બરમાં પાકિસ્તાન ગુપ્ત એજંસીના ઈશારા પર તેને છોડવામાં આવ્યો હતો.