સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભગવાન જગન્નાથની રથયાત્રા | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » નેપાળમાં વિમાન દુર્ઘટના, 14ના મોતની શંકા
Bookmark and Share Feedback Print
 

નેપાળમાં મંગળવારે સવારે એક વિમાન દુર્ઘટના થઈ છે. વિમાન દુર્ઘટનામાં બધા 14 લોકો માર્યા જવાના સમાચાર છે. ખરાબ હવામાનને કારણે વિમાન ઉડાન લેવાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગયુ.

વિમાન દુર્ઘટના કાઠમાંડુથી 80 કિલોમીટર દૂર શિખરપુર ગામની પાસે પહાડી વિસ્તારમાં થઈ. આ વિમાનમાં 11 યાત્રી અને ત્રણ કૂ સદસ્ય સવાર હતા. આશંકા બતાવવામાં આવી રહી છે કે દુર્ઘટનામાં બધા લોકો માર્યા ગયા છે. વિમાનમાં સવાર મુસાફરોમાં છ વિદેશી પર્યટક હતા.

અગ્નિ એયરલાઈંસનુ આ વિમાન ખરાબ હવામાનને કારણે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. વિમાન કાઠમાંડુથી લિકલા જઈ રહ્યુ હતુ. લુકલા એવરેસ્ટ ક્ષેત્રમાં લોકોની પસંદગીનુ પર્વતીય પર્યટક સ્થળ છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games