મુંબઈ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનર્સ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યુ કે તેમણે કદી પણ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને મહારાષ્ટ્ર છોડવાનુ નથી કહ્યુ.
રાજે અહી એક સમારંભમાં કહ્યુ કે મેં અમિતાભને કદી પણ મહારાષ્ટ્ર છોડવાનુ નહોતુ કહ્યુ. શિવસેના સાથે સંબંધ તોડ્યા પછી મહારાષ્ટ્રમા પોતાની રાજનીતિના પગ જમાવવમાં લાગેલા રાજ ઉત્તર ભારતીયોના વિરોધમાં કટુ વચનો બોલવાને કારણે છેલ્લા ત્રણ મહિનાથી પ્રચલિત થયેલા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અમિતાભે તાજેતરમાં એક છાપાને આપેલ મુલાકાતમાં કહ્યુ હતુ કે તેઓ છેલ્લા ચાર દશકાથી મુંબઈમાં છે અને તેથી તેઓ આ શહેરને છોડીને નથી જઈ શકતા.
|