નીમચ. મધ્યપ્રદેશમાં સિમી સામે કાર્યવાહી કરવાના નામે પોલીસ નિર્દોષ યુવાનોને પકડી રહી છે તેવો ચોંકાવનારો આક્ષેપ લઘુમતિ આયોગના પૂર્વ અધ્યક્ષ ઈબ્રાહીમ કુરેશીએ કર્યો હતો.
નીમચ પ્રવાસ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં કુરેશીએ જણાવ્યુ હતુ કે, પ્રતિબંધીત સંગઠન સિમીના સદસ્ય હોવાના નામે પોલીસ નિર્દોષ યુવકોને પકડીને કસ્ટડી ભેગી કરી રહી છે.
જ્યાં તેમને વંદેમાતરમ બોલવા માટે મજબુર કરવામાં આવે છે. પ્રદેશમાં એક પણ આતંકવાદી સંગઠન કાર્યરત નથી. જો કોઈ સંગઠન કાર્યરત હોત તો, રાજ્યના 48 જિલ્લા પૈકીના 23માં થયેલી કોમી હિંસામાં 35 મુસલમાનોની હત્યા, 1200 મકાનો તથા દુકાનો તોડી નંખાયા બાદ તેની પ્રતિક્રિયા જરૂર આવી હોત તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
|