નવી દિલ્હી. બોલીવુડથી પોતાના પ્રેમ માટે પ્રખ્યાત યુઅવરાજસિંહ અને ભારતીય વન ડે ટીમના કેપ્ટન મહેંન્દ્રસિંહ ધોની ક્રિકેટના મેદાન પર ઝલવા દેખાડ્યા સિવાય ઝડપથી શાહરૂખ ખાનનો શો શું તમે પાંચમી પાસથી તેજ છો? ની અંદર પોતાના મગજના ઘોડા દોડાવતાં જોવા મળશે.
શાહરૂખે કહ્યું યુવરાજ શો પર આવી રહ્યાં છે. તેમણે કહ્યું છે કે ક્રિકેટમાંથી જેવો સમય મળશે તેઓ શોની અંદર ભાગ લેશે. મે ધોની સાથે પણ વાત કરી છે. આ મહિનામાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થવા જઈ રહેલ શોની અંદર ભાગ લેનાર મહાનુભવો વિશે જ્યારે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્રીતી ઝીંટાએ પણ મારા ઘરે શો માટે અભ્યાસ કર્યો છે.
|