પંજાબનાં ભઠિંડા જીલ્લાનાં નૈયાવાલા ગામમાં સોમવારે મોડી રાત્રે એક યુવકે માતા-પિતાની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેજા સિંહે (ઉં. 30) પોતાનાં પિતા જ્ઞાન સિંહ અને માતા મુખ્તિયાર કૌરની હત્યા બાદ પોતાની પત્ની પર પણ હુમલો કર્યો હતો. પરંતુ તે બચીને ભાગી નિકળવામાં સફળ રહી હતી.
પોલીસે તેજ સિંહની ધરપકડ કરી છે. તેજ સિંહ માનસિક રીતે બીમાર જણાય છે. હત્યાનું તાત્કાલીક કારણ જાણી શકાયું નથી. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
|