તિહાડ જેલમાં ગઈકાલે 28 વર્ષનાં કેદીએ કથિત રીતે આત્મકત્યા કરી હતી. તેને દસ દિવસ પહેલા હત્યાનાં એક કેસમાં આજીવન જેલની સજા ફટકારવામાં આવી હતી. તે ખૂબ જ તણાવમાં રહેતો હતો.
વરિષ્ઠ જેલ અધિકારીએ જણાવ્યું હતું કે, અનૂપને જેલનાં રૂમ નંબર ચારમાં રાખવામાં આવ્યો હતો અને ગઈકાલે સવારે તેનું શબ બેરેકની છતથી લટકી રહ્યું હતું. તેને દક્ષિણ દિલ્હીનાં ઓખલામાં હત્યાનાં એક કેસમાં ઓગસ્ટ 2005 માં પકડવામાં આવ્યો હતો. તેને સ્થાનીક અદાલતે 11 એપ્રિલે ઉંમર કેદની સજા ફટકારી હતી.
|