કોલંબો. શ્રીલંકાના જાફના દ્વીપમાં શ્રીલંકા સેના તથા લીટ્ટેના સદસ્યો વચ્ચે છેડાયેલી ભીષણ લડાઈમાં કુલ 90 જણાંના મોત થયા હતા. સૈન્ય પ્રવક્તા ઉદય નાન્યાક્કારાએ જણાવ્યુ હતુ કે, આ લડાઈમાં અત્યાર સુધી 38 સૈનિકોએ પ્રાણ ગુમાવ્યા હતા.
જ્યારે જાફના દ્વીપમાં આજે સવારે સર્જાયેલા જંગમાં 84 સૈનિકોને ગંભીર ઈજા પહોંચી હતી. કેટલાક ઈજાગ્રસ્તોને વિમાન મારફતે કોલંબોના નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આ ભીષણ લડાઈમાં લીટ્ટેના 51 વિદ્રોહીઓ માર્યા ગયા હતા અને અનેકને ગંભીર ઈજા પહોંચી હતી. યુદ્ધમાં કુલ મૃત્યુ આંક 90 સુધી પહોંચી ગયો હતો.
|