દિલ્હીનાં હવાઈ મથક પર વડાપ્રધાન મનમોહન સિંહનાં ખાસ વિમાનનાં ઉતરાણ દરમિયાન રડાર પર દેખાયેલા સંકેત એરફોર્સનાં ડોર્નિયર વિમાનનાં ટ્રાંસપોંડર નિષ્ફળ થવાથી બન્યાં હતાં. આ આશયની જાણકારી સરકારને મોકલી આપવામાં આવી છે.
નાગરિક વિમાન ઉડ્ડયન સચિવ અશોક ચાવલાએ કહ્યું હતું કે, નાગરિક વિમાન નિર્દેશાલય (ડીજીસીએ) એ આ મુદ્દે હવાઈ દળનાં અધિકારીઓ સમક્ષ ચર્ચા કરી હતી અને આ ઘટના વિશે તપાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ માનવીય ભૂલ થઈ નથી અને બધા માપદંડોનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું હતું.
|