મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આસામમાં ગ્રેનેડ ફાટતાં બે બાળકોના મોત

કોકરાઝાર. આસામના ચિરંગ જિલ્લાના અમગુરી ગામે એક મકાનમાં ગ્રેનેડ ફાટતાં બે માસુમ બાળકોના મોત નીપજ્યાં હતા. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આસામના ચિરંગ જિલ્લાના અમગુરી ગામમાં આવેલા એક મકાનમાં આજે બપોરે જોરદાર વિસ્ફોટ થતાં બે બાળકોના મોત નીપજ્યાં હતા. આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વિસ્ફોટનુ કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ વિસ્ફોટ ગ્રેનેડના કારણે થયો હોવાનુ બહાર આવ્યુ હતુ.
ઘણું બધુ
જહાનાબાદમાંથી નક્સલવાદી ઝડપાયો
જુના લખનઉમાં શિયા-સુન્ની વચ્ચે પથ્થરમારો
ગરમીએ પાંચના જીવ લીધા
પાકિસ્તાન કેદીનું બિમારીથી મોત
સુરેશ નંદા અને તેમનાં પુત્રને જામીન
અપહ્રૃત્ય મનીષનો 24 દિવસ બાદ છૂટકારો