રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મહારાષ્ટ્રમાં રહેતા ઉત્તર ભારતીય લોકોનો પક્ષ લેતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં નેતા રાજ ઠાકરેનાં આંદોલનની ટીકા કરી છે.
આરએસએસનાં પશ્ચિમ ક્ષેત્રનાં પ્રમુખ અશોક કુકાદે દ્બારા જાહેર એક બયાનમાં રાજ ઠાકરેનું નામ લીધા વિના કહેવામાં આવ્યું હતું કે, રાજકારણીઓ, સામાજીક કાર્યકર્તાઓ અને મીડિયાને સંયમ રાખવો જોઈએ તથા ભાષા, ક્ષેત્ર અને જાતિનાં આધાર પર અશાંતિ પેદા કરવાનાં કોઈપણ પ્રયત્નને સહન ન કરવા જોઈએ. આરએસએસે પ્રવાસી લોકોને પણ કહ્યું હતું કે તેઓ સ્થાનીક લોકો સાથે મળીને રહે.
|