કલકત્તા. રહેણાંક વિસ્તારમાં વિજળીની કટૌતીને જોતાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ પોતાના નિવાસ સ્થાન રાજભવનમાં બે કલાકની વિજકાપ મુકવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. રાજ્યપાલના આ નિર્ણય બાદ કાલથી રાજભવનમાં બે કલાક માટે વિજ કાપ શરૂ કરી દેવામાં આવશે. રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, જ્યારે સામાન્ય જનતા વીજ કાપની મુશ્કેલી વેઠી રહી હોય ત્યારે તેમના નિવાસ સ્થાને ચોવીસ કલાક વિજળી આપવી યોગ્ય નથી.
|