મહારાષ્ટ્રનાં બુલ્ઢાનાં જીલ્લામાં એક લગ્ન દરમિયાન ઘટેલી કરૂણ ઘટનામાં ગઈકાલે બે બાળકો ઉકળતા તેલનાં તવામાં પડતા તેમનાં કમકમાટીભર્યાં મૃત્યુ નિપજ્યાં હતાં.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ બનાવ ગઈકાલે બપોરે બુલ્ઢાનાથી 150 કિલોમીટર દૂર ઉદનાપુર ગામમાં બન્યો હતો. મૃતકોની ઓળખ જાલના જીલ્લાનાં નવ વર્ષનાં રાહુલ ચાવડે અને દસ મહિનાની વૈશાલીનાં રૂપમાં કરવામાં આવી હતી.
તેમનાં જણાવ્યા પ્રમાણે બંને રમત રમતાં બાજુમાં ઉકળતા તેલની કડાઈમાં અકસ્માતે પડી ગયા હતાં અને બળી જવાથી તેમનાં ઘટના સ્થળે કરૂણ મૃત્યુ નિપજ્યાં હતાં. આ ગોજારા બનાવની જાણ આજુબાજુનાં વિસ્તારોમાં થતા સમગ્ર પંથકમાં અરેરાટીની ફેલાઈ ગઈ હતી.
|