બાલાસૌર. ભારતે આજે 3000 કિ.મી રેંજની સર્ફેસ ટૂ સર્ફેસ પરમાણુશસ્ત્ર લઇ જઇ શકે તેવી અગ્નિ-3 મિસાઇલનું ઓરિસ્સાના દરિયા કિનારેથી પરિક્ષણ કર્યું હતું. આ મિસાઇલ લાંબા અંતરની જમીનથી જમીન પર માર કરવાની અને પરમાણુ ક્ષમતા ધરાવતી અગ્નિ-3 મિસાઈલ છે. તેનું પરિણામ જ્યારે ફ્લાઈટ ડેટા પ્રાપ્ત થશે ત્યારબાદ જાણવા મળશે.
ઇંટરમીડીએટ રેંજ બેલીસ્ટીક મિસાઇલ(આઇઆરબીએમ)ને આજે સવારે 9.56 વાગ્યે ઇંટીગ્રેટેડ ટેસ્ટ રેંજના લોંચ કોમ્પલેક્સ(એલસી-4) પરથી મોબાઈલ લોંચર વડે છોડવામાં આવી હતી એમ રક્ષા સૂત્રોએ જણાવ્યું હતું.
આ મિસાઈલ 16 મીટર લાબી અને 1.8 મીટર પહોળી છે અને તેને છોડવામાં આવી ત્યારે સફેદ ધુમાડા સાથે થોડીક જ ક્ષણોમાં અદ્રશ્ય થઈ ગઈ હતી. અગ્નિ-3 મીસાઈલ ઓન બોર્ડ કમ્પ્યુટર સાથે જોડાયેલી છે.
મિસાઈલ પરિક્ષણનું પરિણામ જ્યારે ફ્લાઈટ ડેટા પ્રાપ્ત થશે ત્યારબાદ જાણવા મળશે.
અંત્રે નોંધનિય છે કે, અગિન-3 મિસાઇલનું પ્રથમ પરિક્ષણ 9મી જુલાઇ, 2006માં કરવામાં આવ્યું હતું ત્યારે તેનું વજન 48 ટન હતું. પરંતુ તે નિષ્ફળ ગઇ હતી, તેવીજ રીતે આ મિસાઇલનું બીજુ પરિક્ષણ 12મી એપ્રિલ, 07ના રોજ કરવામાં આવ્યું ત્યારે ટાર્ગેટને નિશાન બનાવવામાં તેણે 15 મિનિટનો સમય લીધો હતો તેવું રક્ષા સૂત્રોએ છેલ્લે જણાવ્યું હતું.
|