ખેડૂતોની આત્મહત્યાની સમસ્યા સામે ઝઝૂંબી રહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારોને રાહત આપવાની દિશામાં કેરલ જૈવ વિવિધતા બોર્ડે કૃષિને એક વ્યવહારિક વિકલ્પ બનાવવા માટે કિસાનોને પગાર આપવા વિચાર વ્યક્ત કર્યો છે.
બોર્ડનાં અધ્યક્ષ વી.એસ.વિજયને જણાવ્યું હતું કે, ખેડૂતો માટે એક આકર્ષક ક્ષેત્ર બનાવવા માટે તેમને માસિક વેતનની ચૂકવણી કરવી જોઈએ. આ પગલું ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવાની સાથે સાથે ખેડૂતોને પણ સરકારી કર્મચારીઓની જેમ જ પગાર આપવો જોઈએ.
વિજયને કહ્યું હતું કે, શરૂઆત સ્થાનીક એકમો દ્બારા કરી શકાય. આ ભલામણ બોર્ડ દ્બારા તૈયાર જૈવિક કૃષિ નીતિનાં ઘણા સૂચનોમાંની એક છે જેમાં ભૂમિને ધીમે ધીમે જૈવિક રીતે વિકસિત કરવા ભાર મૂકવામાં આવ્યો છે.
|