આર્ય સમાજનાં નેતા સ્વામી અગ્નિવેશે સેતુ સમુદ્રમ પરિયોજનાને ભગવાન રામની આસ્થા સાથે જોડવાનાં હિન્દુવાદી સંગઠનોની પ્રયત્નનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આ પરિયોજના સત્વરે શરૂ કરવી જોઈએ.
સ્વામી અગ્નિવેશે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, સેતુ સમુદ્રમ યોજના ભગવાન રામ સાથે જોડાયેલા મામલો નથી. પરંતુ કટ્ટર હિન્દુવાદી સંગઠન તેને આસ્થાનો મુદ્દો બનાવી રહ્યાં છે અને આ બાબતો વિરોધ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, વિકાસ માટે પરિયોજનાને પૂર્ણ કરવી જરૂરી છે. તેથી શ્રીલંકા જવા અને ત્યાંથી આવવાનો સમય બચી જશે.
અગ્નિવેશે જણાવ્યું હતું કે, સમગ્ર સૃષ્ટિ ઈશ્વરની બનાવેલી છે જો આસ્થાને તેની સાથે જોડવામાં આવે તો મનુષ્ય કંઈ પણ છેડછાડ કરી ન શકે.
|