શ્રીનગર. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આજે પોલીસ સાથેની મુઠભેડમાં બે આતંકવાદી ઠાર મરાયા હતા. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ગુપ્તચર વિભાગની સૂચનાના આધારે સુરક્ષાજવાનોની વિશેષ ટુકડીએ આતંકવાદીઓના આશ્રય સ્થાનને ઘેરી લીધુ હતુ.
જેની જાણ થતાં જ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સુરક્ષા જવાનોના વળતાં ફાયરિંગમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા. મરનાર આતંકવાદીઓ ક્યાં સંગઠન સાથે સંકળાયેલા હતા તે હજી સુધી જાણી શકાયુ નથી.
|