આઝમગઢ. જહાનાગંજ પોલીસ મથકની હદમાં આવતા મિતૂપુર ગામે પારિવારીક કંકાસથી કંટાળેલી એક પરિણીતાએ પોતાની બે બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતાં ચકચાર મચી ગઈ હતી.
આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ત્રણેના મૃતદેહોને પીએમ માટે સ્થાનીક હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
|