લેહ. હિમાલય સ્થિત લદ્દાખમાં દિન-પ્રતિદીન અપરાધિક વારદાતોમાં વૃદ્ધી થઈ રહી છે. એક સમયે શાંતિના પ્રતિક ગણાતા લદ્દાખમાં બહારના લોકોના પ્રવેશના કારણે ગુનાખોરીમાં વૃદ્ધી થઈ રહી છે તેવુ પોલીસનુ માવુ છે.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક એસ આર સેમ્યુઅલે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી આ વિસ્તારમાં હત્યા, બળાત્કાર અને નશીલી દવાઓની તસ્કરી જેવા અપરાધો નોંધાતા નથી. લેહ-શ્રીનગર અને લેહ-મનાલી ધોરીમાર્ગ બનતાં લદ્દાખ સાથે દેશના અન્ય વિસ્તારોનો સંપર્ક સધાતા લોકોની અવરજવરમાં વધારો થયો છે. જેને કારણે વિસ્તારમાં અપરાધોમાં વધારો થયો છે.
|