નવી દિલ્હી. આંધ્રપ્રદેશના મેદક વિસ્તાર પાસે વાયુસેનાનુ પ્રશિક્ષણ વિમાન એચપીટી-32 દુર્ઘટનાગ્રસ્ત થતાં એક શિખાઉ મહિલા પાઈલોટનુ મોત નીપજ્યું હતુ.
ભારતીય વાયેસેનાના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, પ્રશિક્ષણ વિમાન પોતાની નિયમીત ઉડાન પર હતુ. બપોરે ત્રણેક વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. જેમાં મહિલા પાઈલોટને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેનુ મોત નીપજ્યું હતુ. વાયુસેના દ્વારા આ અકસ્માતની તપાસનો આદેશ આપી દેવાયો છે.
|