નવી દિલ્હી(વાર્તા) કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જયપુરમાં થયેલા બોંબ વિસ્ફોટોની નિંદા કરી હતી અને આ ધમાકામાં માર્યા ગયેલા લોકો પ્રતિ શોક વ્યક્ત કર્યો હતો. આ બનાવને તેમણે માનવતા વિરુદ્ધના અપરાધ તરીકે આલેખ્યો હતો અને સંકટની આ ઘડીમાં તમામ નાગરિકોને મૃતકો તથા ઈજાગ્રસ્તોની વ્હારે પહોંચવાની અપીલ કરી હતી.
|