જયપુર(વાર્તા) જયપુર બોંબ બ્લાસ્ટની ઘટનામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આજે રાજ્યમાં રાજકીય અવકાશ ઘોષીત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, રાજકીય અવકાશ દરમિયાન તમામ સરકારી કાર્યાલય બંધ રાખવામાં આવશે.
તેમણે બોંબ વિસ્ફોટોની કડક શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યુ હતુ કે, આતંકવાદી ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકાર કડક પગલાં લેશે. આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો અને તેમની સામે સખ્ય કાર્યવાહી કરવાની યોજના બનાવવામાં આવશે તેવુ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જણાવ્યુ હતુ.
|