જયપુર(ભાષા) ગુલાબી નગરી જયપુરમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવા પાછળ બાંગ્લાદેશથી ગતિવીધીઓ ચલાવતાં હૂજીનો હાથ હોવાના તાજા સંકેતો વચ્ચે કેન્દ્રએ આ સિરીયલ બોંબ બ્લાસ્ટમાં એક પાડોશી દેશનો હાથ હોવાનો ઈનકાર કર્યો ન હતો.
શ્રૃંખલાબદ્ધ વિસ્ફોટો અંગે મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કહ્યુ હતુ કે, ભરચક વિસ્તાર ગણાતા હનુમાન મંદિરની આસપાસ સિલસીલાવાર બોંબ ધડાકા કરવામાં આવ્યા હતા. જે સંગઠીત આંતરરાષ્ટ્રીય આતંકવાદી ગેંગનુ કાર્ય હોય તેમ જણાય છે. આ ધડાકા કર્યા બાદ રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળે તેવી આશંકાને જોતાં આ કૃત્ય આચરવામાં આવ્યુ હોવાની વાત પણ નકારી શકાતી નથી.
|