ભોપાલ(ભાષા) ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કાર્ય સમિતીએ જયપુરમાં ગઈકાલે થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકો પ્રતિ શ્રદ્ધાંજલી અર્પીત કરી હતી. આ ઘટના બાદ દેશના કરોડો નિર્દોષ નાગરિકોના હિતમાં પોટા કાયદો ફરીથી લાગૂ કરવાની માગણી ભાજપાએ કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી.
ભાજપાની બે દિવસીય પ્રદેશ કાર્ય સમિતીના અંતિમ દિવસે આતંકવાદ સામે પારિત નિંદા પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યુ હતુ કે, યુપીએ સરકાર સત્તામાં આવી અને તુરંત જ તેઓએ પોટાનો કાયદો રદ્ કરી નાંખ્યો હતો અને આતંકવાદ પ્રત્યે નરમાશ દાખવતા તેના પરિણામ સ્વરૂપે દેશના વિભિન્ન ભાગોમાં બોંબ વિસ્ફોટોની ઘટનાઓ લગાતાર વધી રહી છે.
|