વારાણસી(ભાષા) જયપુરમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે વારાણસીમાં ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. વિરોધ નોંધાવવા એકત્રીત થયેલા લોકોએ આતંકવાદના પૂતળાનુ દહન કર્યુ હતુ. ભાજપાના કાર્યકર્તાઓએ જયપુર વિસ્ફોટોના વિરોધમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના પૂતળા ફુંક્યા હતા.
|