નવી દિલ્હી. સીઆરપીએફના એક જવાને આજે જમ્મૂ કાશ્મીરના પુલાવામા જીલ્લામાં પોતાના કૈમ્પની બહાર પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
સીઆરપીએફના 183 બટાલિયનના સિપાહી મોહમ્મદ ઈકબાલ રાઠરનો શવ આજે તેના કેમ્પની બહારથી મેળવવમાં આવ્યો હતો.
પ્રારંભિક માહિતી મુજબ રાઠર પોતાની ઈંસાસ રાઈફલ અને ચાર મેગેઝીનની સાથે પાછલી રાત્રે કેંમ્પ છોડીને ભાગી ગયો હતો.
સિપાહી બારામૂલા જીલ્લાનાં પટ્ટન વિસ્તારનો રહેવાસી હતો અને 2006માં તેની નિયુક્તિ કરાઈ હતી.
તેની આત્મહત્યા વિશે હજુ સુધી કોઈ જ જાણકારી મળી નથી.
|