નવી દિલ્હી(ભાષા) પેટ્રોલ, ડિઝલ અને રસોઈ ગેસના સિલેન્ડરોની કિંમતમાં વધારો કરવાના નિર્ણયથી યુપીએ સરકારના સહયોગી દળો તથા મુખ્ય વિપક્ષી દળ ભાજપાએ સરકારને સાણસામાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.
ભાજપાએ સરકાર પર આર્થીક આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ ડાબેરીઓ આ નિર્ણયના વિરોધમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. ડાબેરીઓના શાસન હેઠળના ત્રણ રાજ્યોમાં હડતાળ ઘોષીત કરી દેવામાં આવી છે.
સત્તાધારી પક્ષ કોંગ્રેસે પોતાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યુ હતુ કે, આ ફૈસલો રાષ્ટ્રહિતમાં ઉચીત છે. પરંતુ ભાજપાએ આરોપ લગાવ્યો છે કે, યુપીએ સરકાર દિશાહિન રીતે પેટ્રોલ, ડિઝલ અને ગેસની કિંમતોમાં વધારો કરીને અર્થવ્યવસ્થાને કઠુરાઘાત કરી રહી છે.
|