નવી દિલ્લી. પ્રધાનમંત્રી મનમોહનસિંહે શનિવારે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરી હતી.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા રજુ કરાયેલ વિજ્ઞપ્તિમાં આ જાણકારી આપવામાં આવી છે. વિજ્ઞપ્તિ અનુસાર 30 મિનિટની આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે તાજેતરમાં ચાલી રહેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર ચર્ચા થઈ.
પેટ્રોલ, ડિઝલ અને રસોઈ ગેસના ભાવની અંદર કરાયેલ વધારો, નાણાંકીય દર જે પાછલી વર્ષની સરખામણીમાં ટોચે આવી ગયો, અનુસુચિત જનજાતિની માંગ પર ઘણાં દિવસોથી ચાલી રહેલ ગુર્જર આંદોલન, ફરીથી શરૂ થયેલ ગોરખા આંદોલન અને ભારત-અમેરિકી પરમાણુંને લઈને તાજા ઘટનાક્રમોનાં પરિદ્રશ્યોમાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની વચ્ચે આજે થયેલી મુલાકાતને મહત્વપુર્ણ માનવામાં આવી રહી છે.
|