વારાણસી. વારાણસીમાં પુરીની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાની સાથે થનારી રથયાત્રા પોતાના આજના સ્વરૂપમાં ઠીક 229 વર્ષ પુર્વ 1780થી શરૂ થઈ હતી જ્યારે ઐતિહાસિક દેવરથને પંડિત બેનીરામે બનાવડાવીને આ યાત્રાનો શુભારંભ કર્યો હતો.
ઈતિહાસકારો જણાવે છે કે જ્યાં મહારાણી અહિલ્યાબાઈએ 1780માં આજના વિશ્વ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ કરાવડાવ્યું હતું ત્યાં તે જ વર્ષે પંડિત બેનીરામે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના લાકડીના જોરદાર રથનું નિર્માણ કરાવીને કાશીમાં ભવ્ય શોભાયાત્રાઓ પ્રારંભ કર્યો હતો.
જાણકારો જણાવે છે કે સન 1780માં પુર્વ કાશીમાં રથયાત્રા અને મેળાની પરંપરા હતી પરંતુ પુરીના રથ જેવા રથ પર અષાઢ સુદ બીજથી રથયાત્રા નિકળવાની પરંપરા અહીંયા 1780માં શરૂ થઈ.
|