માકપાએ મંગળવારે કહ્યુ કે જાપાનમાં થનારી સમૂહ-8ની શિખર બેઠકમાં પ્રધાનમંત્રી મનમોહનસિ6હની હાજરી આ વાતનો સંકેત હશે કે સંપ્રગ સરકારનો ઈરાદો કરારને લઈને આગળ વધવાનો છે. પાર્ટીએ કહ્યુ કે વામદળની ચાર જુલાઈના રોજ થનારી બેઠકમાં આ મુદ્દાને લઈને સમર્થન પાછુ ખેંચવા પર વિચાર કરવામાં આવશે.
પાર્ટી મહાસચિવ પ્રકાશ કરાતે કહ્યુ કે અમને કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી આ વાત પર અટલ છે કે તેઓ જાપાન ત્યારે જ જશે, જ્યારે તેમને કરાર બાબતે આગળ પગલાં ભરવાની સહમતિ મળશે. જો પ્રધાનમંત્રી જાપાન જઈ રહ્યા હશે તો એ એક સંકેત હશે કે કરારનુ અમલીકરણ કરવા માટે જઈ રહ્યા છે.
તેમણે કહ્યુ કે ડાબેરીઓની ચાર જુલાઈએ થનારી બેઠકમં આ મુદ્દા પર ટેકો પાછો ખેંચવા પર વિચાર કરવામાં આવશે. પાર્ટી સૂત્રોએ કહ્યુ કે પ્રધાનમંત્રી જેવા જાપાન જશે તે સમયે ડાબેરીઓ રાષ્ટ્રપતિ પાસે જશે અને ટેકો પાછો ખેંચવા અંગેનો પત્ર સોંપી દેશે.
સૂત્રોએ આ પણ શક્યતા બતાવી કે સરકાર પ્રધાનમંત્રીના જાપાનથી પાછા ફર્યા પછી નવ જુલાઈથી 15 જુલાઈની વચ્ચે આઈઆઈએ ની પાસે જઈ શકે છે.
પાર્ટીને આ પૂછતા કે શુ તેમની પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે, તેમણે કહ્યુ કે આ વાતનો નિર્ણય લોકોને કરવા દો કે દેશને પરમાણુ કરારની જરૂર છે કે નહી.
|