હોટલ તાજમાં બંધક બનાવેલા 280 જેટલાં બંધકોને આતંકવાદીઓ છોડી મુક્યા છે. તેમછતાં તાજ હોટલની 13મા માળમાં હજુ કેટલાંક લોકોને બંધક બનાવ્યા હોવાની સંભાવના છે.
રાત્રે 10 વાગે હોટલમાં ઘુસેલા આતંકવાદીઓએ ઘણાં દેશી અને વિદેશી પ્રવાસીઓને બંધક બનાવ્યા હતાં. તેને કારણે પોલીસ અને સેનાએ હોટલને ચારેબાજુથી ઘેરી લેવામાં આવી હતી.
તેને કારણે આતંકવાદીઓએ તાજ હોટલમાંથી 280થી વધુ લોકોને છોડી મુક્યા છે. પણ ઓબેરોય હોટલમાં પણ કેટલાંક લોકો ને આતંકવાદીઓએ હજુ બંધક બનાવ્યા છે. સેના અને પોલીસ તેમને છોડવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
|