મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે જણાવ્યું હતું કે મુંબઈને હચમચાવનારા આતંકવાદીઓ નાવની અંદર સવાર થઈને આવ્યાં હતાં અને તેમણે 10 જગ્યાઓને પોતાનું નિશાન બનાવ્યું હતું. પરંતુ હજી પણ તેમની સંખ્યા વિશે કોઈ જ જાણકારી મળી નથી. આજે વહેલી સવારે પત્રકારોની સાથે વાતચીતની અંદર દેશમુખે કહ્યું હતું કે પોલીસ તેમજ સુરક્ષાબળોની સાથે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયાં હતાં અને નવ શંકાસ્પદની ધરપકડ કરાઈ હતી.
વધારેમાં મળેલી માહિતીનુસાર આતંકવાદીઓ કામા હોસ્પીટલની અંદર સંતાયા હોવાની શક્યતા છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે અંદરની સ્થિતિ વિશે કંઈ પણ સુનિશ્ચિત જાણકારી મળી નથી.
|