પાકિસ્તાન સાથે વણસી રહેલા સંબંધોથી યુધ્ધ માટે સીમાઓએ વધી રહેલી હલચલને પગલે વડાપ્રધાને આજે બપોરે સેના પ્રમુખોની બેઠક બોલાવી ગતિવિધીઓની જાણકારી મેળવી હતી.
મુંબઇ હુમલા બાદ પાકિસ્તાન સાથેના સંબંધોમાં આવેલી તિરાડને પગલે બંને દેશોની સીમાઓ યુધ્ધ માટે સજ્જ થઇ રહી છે. જેને પગલે વડાપ્રધાન મનમોહનસિંહે આજે બપોરે ત્રણેય સેના પ્રમુખોની તાકીદની બેઠક બોલાવી તાજી ગતિવિધિઓ અંગે જાણકારી મેળવી હતી.
જોકે પાકિસ્તાને સીમાએ લડાકુ વિમાનો તથા સેના ગોઠવી દેતાં ભારતે પણ એના જવાબ માટે બી.એસ.એફની જગ્યાએ સેનાને ગોઠવવાનું શરૂ કરી દીધુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
|