ઉત્તર ભારતમાં છવાયેલ ધુમ્મસ અને અતિશય ઠંડીને કારણે વધુ 15 લોકોનાં મોત થયા છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થવાથી સમગ્ર દેશમાં ઠંડી વધી જવા પામી છે. તેમજ રસ્તા, ટ્રેન અને હવાઈ સેવા અસરગ્રસ્ત પામી છે.
ઉત્તર પ્રદેશમાં ઠંડીને કારણે વધુ 12 લોકો ઠુઠવાઈને મૃત્યુ પામ્યા છે. તેમજ ધુમ્મસને કારણે ઘણી જગ્યાએ અકસ્માત થયા હોવાનુ જાણવા મળ્યું છે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં ત્રણ લોકોનાં મોત થયા હતા.
શ્રીનગરમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી થઈ ગયું છે. તેમજ સમગ્ર રાજ્યમાં પણ તાપમાન ખૂબ નીચું છે. શ્રીનગર લેહ વચ્ચેનો હાઈવે પણ બંધ છે.
વૈષ્ણોદેવી મંદિર વિસ્તારમાં પણ સીઝનનો પ્રથમ બરફવર્ષા થઈ છે. તેના કારણે ભક્તોને ભારે તકલીફોનો સામનો કરી રહ્યાં છે
|