મહારાષ્ટ્રનાં યવતમાલનાં ભાજપનાં સસ્પેન્ડ સાંસદ હરિભાઉ રાઠોડે મંગળવારે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.
યવતમાલમાં વણજારા અને આદિવાસી લોકોની સભાને સંબોધિત કર્યા બાદ પત્રકારોને પોતાનાં રાજીનામાની માહિતી આપી હતી.
રાઠોડ ગયા વર્ષે સંસદમાં યુપીએ સરકારનાં વિશ્વાસમત વખતે ગેરહાજર રહ્યાં હતાં. તેથી ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતુ. આ સાથે યવતમાલ બેઠક સંસદીય બેઠકને નવા પરિસીમનમાં ખતમ કરી દેવામાં આવી છે. તેમજ તેને વાશિમ સંસદીય બેઠકમાં જોડી દેવામાં આવી છે. તેથી રાઠોડ આગામી ચુંટણી કોંગ્રેસને બેઠક પર લડવા માંગે છે.
|