મુંબઈ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનાં સબુત પાકિસ્તાનને સોંપ્યા બાદ મંગળવારે યોજાયેલા મુખ્યમંત્રીઓની બેઠકમાં વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું હતું કે મુંબઈ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં યોજાયેલ સંમેલનમાં વડાપ્રધાન મનમોહનસિંહ અને ગૃહમંત્રી પી ચિદમબરમ હાજર રહ્યા હતા. તેમણે આતંકવાદ સામે લડવા માટે જાસુસી તંત્ર અને પોલીસ તંત્રને મજબૂત કરવા પર ભાર મુક્યો હતો.
સિંહે જણાવ્યું હતું કે મુંબઈ જેવા હુમલા ફરીવાર ન થાય તે માટે દરિયાઈ સુરક્ષા મજબૂત કરવી પડશે.તેમજ રાજ્યો વચ્ચે માહિતીની આપલે ઝડપી બને તેવું તંત્ર ગોઠવવું પડશે.
|