નક્સલવાદ બાદ છત્તીસગઢમાં ઈસ્લામિક આતંકવાદ પણ પોતાનો પગપસારો કરવાની કોશિશ શરૂ કરી દીધી છે.
રા્જ્યનાં મુખ્યમંત્રી રમણસિંહે મંગળવારે યોજાયેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં આ ખુલાસો કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે સિમી અને તેની સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠનો રાયપુર,દુર્ગ અને બિલાસપુરમાં ખાનગી ધોરણે અડ્ડો બનાવવાની કોશિશ કરી રહ્યું છે.
જો કે નક્સલવાદગ્રસ્ત રાજ્યમાં કોઈ આતંકવાદી ઘટના બની નથી. પણ જાસુસી તંત્રનાં રીપોર્ટમાં સિમી અને અન્ય ઈસ્લામિક સંગઠનોનાં કેટલાંક પદાધિકારીઓની ગતિવિધિઓ તેજ બની ગઈ છે. રાજ્ય સરકારે દરેક જિલ્લામાં આતંકવાદ વિરોધી દળ ગઠિત કર્યા છે. તેમજ જાસુસી સંસ્થાઓ દ્વારા આ અંગે વિગતો એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
|