ઉત્તરી આસામમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલા જાતિય તોફાનો દરમિયાન પાકિસ્તાની ઝંડો ફરકાવવાના કેસમાં રાજ્ય સરકાર માટે ગળાની ફાંસ બન્યો છે.વિપક્ષે વિધાનસભામાં તે મુદ્દો ફરીથી ઉછાળ્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દર્રાંગ અને ઉદલગુડી જિલ્લામાં થયેલા કોમી તોફાનો અંગે વિપક્ષી નેતા ચંદ્રમોહન પટવારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની ઝંડાને ફરકાવવા અંગેનો વિડીયો ફુટેજ પર સરકારનો પક્ષ જાણવા માંગ્યો હતો.
જો કે અલ્પસંખ્યક ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે તે પાકિસ્તાનનો નહીં પણ ઈદનો ઝંડો હતો. જો કે આ તોફાનોની સીબીઆઈની તપાસ હાથ ધરવાની માંગ પેન્ડીંગ છે. તો રાજસ્વ મંત્રી ભૂમિધર બર્મને જણાવ્યું હતું કે સીબીઆઈની તપાસનો વિષય હોવાથી કઈ કહેવું વહેલું છે.
|