ઓઈલ પીએસયુનાં ઓફિસરોની હડતાળ બીજા દિવસમાં પ્રવેશી છે. તેના કારણે પેટ્રોલ, ડિઝલ, એલપીજીનાં પુરવઠાને આગામી થોડા દિવસોમાં અસર થવાની સંભાવના છે. દરમિયાન હડતાળ બંધ કરવા યોજાયેલી મંત્રણા નિષ્ફળ નીવડી હતી.
દેશભરનાં પેટ્રોલ-ડિઝલ પંપો પરથી સ્ટોક ખાલી થઈ રહ્યો છે. લોકો કેરબા લઈને પંપ પર પેટ્રોલ-ડિઝલ લઈ રહ્યાં છે. દિલ્હીમાં કેટલાંક જગ્યાએ પરિસ્થિતિ વણસે તેવા હાલાત છે.
આઈઓસીનાં ચેરમેન સાર્થક બેહરીયાનાં જણાવ્યા મુજબ જો શુક્રવારે પણ હડતાળ ચાલુ રહી તો પેટ્રોલ ખુટી જશે. તો ઘણા ભાગોમાં એલપીજીનાં પુરવઠાની પણ તંગી સર્જાય તેવી શક્યતા છે. આઈઓસીની સાત રિફાયનરીઓ 40 ટકા ઉત્પાદન કરી રહી છે. તો ગુજરાતની કોયલી રીફાયનરી પણ તેની ક્ષમતાનાં 25 ટકા ચાલે છે.
|