વિશ્વના ચોથા નંબરના ગ્રેટર નોઇડામાં ખુલવા જઇ રહેલા નાઇટ સફારી પરિયોજનાને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી છે. મુખ્ય ન્યાયાધીશ કે જી બાલાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ પી સદાશિવમની એક પીઠે ગ્રેટર નોઇડા પ્રાધિકરણને આની મંજૂરી આપી છે. આનું નિર્માણ યમુના એક્સપ્રેસથી નજીક મુર્શિદપુરના સંરક્ષિત વનમાં 102 એકર જમીનમાં કરવામાં આવશે.
આ પરિયોજના માટે ગ્રેટર નોઇડા પ્રાધિકરણ પહેલા સિંગાપુર સ્થિત બર્નાડ હૈરીસનથી સહયોગ કરવામાં આવ્યો હતો. આ કંપનીએ એશિયાઇ દેશોમાં નાઇટ સફારી સ્થાપિત કરવામાં નોંધપાત્ર કામગીરી કરી છે.
|