ટ્રાન્સપોર્ટરોની હડતાળ સાતમા દિવસે પણ ચાલુ છે. ટ્રાન્સોપોર્ટરો અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત રહી છે. જો કે હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખાતરી બાદ હડતાળ પાછી ખેચાઈ છે.
દિલ્હી, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા જેવા રાજ્યોએ આ સપ્તાહની શરૂઆતમાં એસ્મા લાગુ પાડીને હડતાળ ઉકેલવા પ્રયાસો કર્યા હતા. જો કે દિલ્હીમાં શાકભાજી અને ફળનાં ભાવોમાં 15 ટકાનો વધારો થયો છે.
સરકારે પરિસ્થિતિ સુધરી હોવાનો દાવો કર્યો હતો. દિલ્હી સરકારે એઆઈએમટીસીનાં પ્રમુખ ચરણસિંહ લોહારા અને સચિવ એસ.વેણુગોપાલની ધરપકડ કરી હતી. કેબીનેટ સચિવ કે.એમ.ચંદ્રશેખરે માર્ગ અને ભૂમિ પરિવહન, સંરક્ષણ, રેલ્વે અને પેટ્રોલિયમના સચિવો સાથે વાતચીત કરી હતી. તેમજ હડતાળની અસર અંગે ચર્ચા કરી હતી.
|