મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > 34 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
34 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું
ત્રિપુરામાં ઉગ્રવાદીઓ મુખ્યપ્રવાહમાં ભળ્યા
વાર્તા

પશ્ચિમ ત્રિપુરામાં છેલ્લાં 24 કલાક દરમિયાન નેશનલ લિબ્રરેશન ફ્રંટ ઓફ ત્રિપુરા(એનએલએફટી) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ(એટીટીએફ)નાં 34 કુખ્યાત ઉગ્રવાદીઓએ અસમ રાઈફલ્સ અને રાજ્ય પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યુ છે.

પોલીસનાં જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર દ્વારા ભારતીય ઉગ્રવાદીઓ વિરૂધ્ધ ચલાવવામાં આવેલા અભિયાનો બાદ બધા ઉગ્રવાદીઓ બાંગ્લાદેશની શિબિરોમાંથી ભાગી ગયા છે. એનએલએફટીનાં બધા 28 ઉગ્રવાદીઓ પશ્ચિમ ત્રિપુરાનાં હરાંગખળ પારા કેમ્પમાં અસમ રાઈફલ્સ સમક્ષ સમર્પણ કર્યુ હતું.

પોલીસનાં જણાવ્યા મુજબ આત્મસમર્પણ બાદ ઉગ્રવાદીઓએ બે ચીની ગ્રેનેડ, 7.6 એસએલઆર રાયફલ, મેગેઝીન, .303 રાયફલ, મેગેઝીન, .022 રાયફલ અને દારૂગોળા તેમજ કેટલાંક આપત્તિજનક દસ્તાવેજ જમા કરાવ્યા હતા. એટીટીએફનાં બે ઉગ્રવાદીઓએ પણ શનિવારે આત્મસમર્પણ કર્યું હતું.

છેલ્લાં એક સપ્તાહમાં એટીટીએફનાં બે કુખ્યાત ઉગ્રવાદી સહિત 70 થી વધુ ઉગ્રવાદીઓ આત્મસમર્પણ કરી ચુક્યા છે. આ ઉગ્રવાદીઓ બાંગ્લાદેશનાં કેમ્પમાં ખાવાનાં સામાનની ઉણપ તેમજ નાણાનો અભાવ હોવાથી આતંકવાદીઓ મુખ્યધારામાં પાછા આવી રહ્યાં છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અંડમાનમાંથી 150 બાંગ્લાદેશીની ધરપકડ
આતંકવાદ વિરુદ્ધ ચર્ચા માટે કરજઈ ભારત આવ્યાં
શિબુ સોરેન આજે રાજીનામું આપશે
દરેક પરિસ્થિતિનો સામનો કરવા સેના તૈયાર
બસપાની સાથે ચુંટણી તાલમેળનો સંકેત
વામમોર્ચા નવું ગઠબંધન કરવાના પ્રયત્નમાં