પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકારે યોગ્ય ઉકેલની ખાતરી આપતાં ભારતીય ટ્રાન્સપોર્ટ યુનિયને આજે આઠમા દિવસે પોતાની હડતાલ સમેટી લીધી હતી. કેન્દ્ર સરકારે પરિવહન સચિવના નેતૃત્વ હેઠળ સમિતિ બનાવવાની ખાતરી આપ્યા બાદ યુનિયને હડતાળ પાછી ખેંચી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી ટ્રક ઓપરેટરોની હડતાલને પગલે દેશમાં શાકભાજી સહિત રોજીંદી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો હતો.
|