ગણતંત્ર દિવસની પૂર્વસંખ્યાએ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પુરસ્કારોની ઘોષણા કરી છે. જેમાં 5 મહાનુભાવોને પહ્મભૂષણ અને 13 મહાનુભાવોનો પહ્મશ્રી સુત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પુરસ્કારોમાં વૈજ્ઞાનિક, ટેક્નોક્રેટ, ફિલ્મ અને રમત ગમતક્ષેત્રમાં સારો દેખાવ કરનારને સન્માનિક કરવામાં આવ્યા છે. પહ્મભૂષણ પુરસ્કારોમાં મિશનરી ઓફ ચેરીટીની સિસ્ટર નિર્મલા, ગાયક સમશાદ બેગમ, બરાક ઓબામાનાં આરોગ્ય સલાહકાર શેખર ગુપ્તા, ટેકનોક્રેટ સેમ પિત્રોડા અને સંતિષ નામ્બિયારનો સમાવેશ થાય છે.
જ્યારે 13 નાગરિકોને પહ્મશ્રી સુત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર, અભિનેત્રી ઐશ્ચર્યા રાય બચ્ચન, ગાયક ઉદીત નારાયણ, ગાયક કુમાર શાનુ, ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સ્પીનર હરભજનસિંહ, બિલિયર્ડ ખેલાડી પંકજ આડવાણી ગાયક પિનાઝ મસાની, અભિનેત્રી હેલન, ઉદ્ઘોષક અમીન સયાની, વૈજ્ઞાનિક અનિલ કાકોદકર અને ઈસરોનાં જી.માધવનનો સમાવેશ થાય છે.
આ દરેક નાગરિકનો પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે.
|