સોનિયા ગાંધીએ પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં જલ્દી ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. આ ઘટાડો કરવાથી મોંઘવારી દરમાં ઘટાડો કરવામાં મદદ મળશે.
મંગળવારે રાયબરેલીમાં ટ્રેનનાં કોચની ફેક્ટ્રીનાં ભૂમિપૂજન પ્રસંગે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે યુપીએ સરકારે ઓઈલ કંપનીઓને એક લાખ કરોડની સહાય આપીને કામ કરી ચુકી છે. તેથી પેટ્રોલ ડિઝલનાં ભાવમાં ઘટાડો થઈ શકે છે.
તેમણે જણાવ્યું કે પેટ્રોલ ડિઝલનાં ભાવોમાં ઘટાડો કરવાથી મોંઘવારી દરમાં ઘટાડો થશે. તેમજ ગરીબોનાં કલ્યાણ માટે નાણાંની કોઈ ખેંચ પડશે નહીં.
|