મહારાષ્ટ્રના એક ખેડૂતે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પતિ દેવસિંહ શેખાવત અને તેના પાંચ અન્ય સંબંધીઓ પર પોતાની જમીન હડપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
ચંદ્રપુર ગામના ખેડૂત કિશોર માધવરાવ બંસોડે ઉપસંભાગીય અધિકારીની કોર્ટમાં બુધવારે અરજી દાખલ કરી જેમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના સંબંધીઓ પર ભૂમિ રેકોર્ડમાં ગેરકાનૂની પરિવર્તન કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે.
ખેડૂતે મહારાષ્ટ્ર ભૂમિ સ્વામિત્વ અધિનિયમ 1966 ની ધારા 247 હેઠળ અરજી દાખલ કરતાં જણાવ્યું છે કે, તેની ભૂમિના રાષ્ટ્રપતિના સંબંધીઓના નામ કથિત ગેરકાનૂની નામાંતરણ પર રોક લગાવામાં આવે.
|